પાનોલી જીઆઇડીસીની શ્રીજી કેમિકલ કંપનીમાં આગથી પ્લાન્ટ બળીને ખાખ
02, મે 2021

અંક્લેશ્વર, પાનોલી જીઆઈડીસી માં આવેલ શ્રીજી કેમિકલ કંપની માં સવાર ના અરસામાં પ્લાન્ટ માં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ૭ જેટલા ફાયર ટેન્ડરો ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જીઆઇડીસી માં આવેલ શ્રીજી કેમિકલ કંપની માં કામદારો સવાર ની શીફ્ટ માં જઈ રહ્યા હતા. તે દરમ્યાન પ્લાન્ટ માં ચાલી રહેલ રસાયણિક પ્રક્રિયા દરમ્યાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ને જાેતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા.જાે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપની સંચાલકો એ પાનોલી નોટીફાઈડ ફાયર સ્ટેશન માં જાણ કરતા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવ્યા હતા.અને આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. જાેકે આગ સમગ્ર પ્લાન્ટ માં ફેલાતા અંકલેશ્વર ડીપીએમસી અને નગર પાલિકા ના ફાયર ટેન્ડરો મળી ૭ જેટલા ફાયર ટેન્ડરો આવી પહોંચ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution