સાવલી તાલુકાના છેવાડાના ગામ પીલોલ ગામ પાસેથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આ નદીમાં ઉપરવાસનું પાણી છોડવાના પગલે પાણીનું લેવલ વધી જાય છે અને ગામોમાં પાણી ઘૂસી જાય છે. ગામની શેરીઓમાં પણ પાણી ધસમસતું વહેતું જાય છે અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાત્રિના સમયે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતાં નદી પર આવેલો પુલ પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો અને પુલ ઉપર વહેતું પાણી આજુબાજુના ગામોમાં ઘૂસવા માંડ્યું હતું. જોતજોતામાં મોટાપુરા, નાનાપુરા, દરજીપુરા અને કલ્યાણપુરા જેવા ગામોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને ચારેય ગામો તાલુકાથી અને એકબીજાથી સંપર્કવિહોણા થઇ ગયાં હતાં. સદર બાબતની જાણ સાવલી મામલતદારને થતાં તાત્કાલિક તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે, પાણીના વહેણ વધુ હોવાના કારણે તેઓ પીલોલ સુધી પહોંચી શક્યા ન હતા, જેથી તેઓએ નાનાપુરા ગામના નાગરિકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments