આ ચોમાસામાં વરસાદથી ભાવનગર શહેરના ગૌરવ પથનું બિરૂદ પામેલા અને પ્રવેશ દ્વાર સમાન આ રોડ તદ્દન જર્જરીત થઈ થયો છે. આ ખાડાવાળા રોડને લીધે રોજીંદા અપડાઉનવાળા લોકોને ડાયવર્ઝનના માર્ગમાં પણ ડાયવર્ઝન શોધવું પડ્યું છે. જે તંત્ર માટે શરમજનક બાબત છે. દેસાઈનગર પેટ્રોલ પંપથી લાંલ ટાંકી સુધીના માત્ર અડધા કિલોમીટરના રોડમાં નાના મોટા ૧૮૩ ખાડા આવેલા છે.