ગાંધીનગર : રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, છઝ્રમ્ના વડા કેશવ કુમાર અને ડ્ઢય્ઁઆશીષ ભાટિયાએ પત્રકાર પરીષદ કરી હતી. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી છઝ્રમ્ દ્વારા સપાટો બોલાવામાં આવ્યો છે. રાજ્યમાં લાંચિયા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને આવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. એસીબીના વડા કેશવકુમાર અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે અને તેના વિશે માહિતી આપી છે. સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની કામગીરીનાં આંકડા જાહેર કરતા તેમણે છઝ્રમ્ની કામગીરી વિશે ડાયરેક્ટર કેશવકુમારે વિગતો આપતા જણાવ્યું કે ૨૦૨૧માં ૩૩ કરોડની અપ્રમાણસરની મિલ્કતોનાં કેસ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦માં ૫૦ કરોડનાં કેસ કરવામાં આવ્યા હતા. સરકારે તપાસ માટે ખુલ્લો દોર આપતા હજુ કેસની સંખ્યામાં વધારો થશે. કેશવકુમારે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ૨૫૮ કેસ, ૨૦૧૭માં ૧૪૮, ૨૦૧૮માં ૩૩૨, ૨૦૧૯માં ૨૫૫, ૨૦૨૦માં ૧૯૯ કરપ્શનના કેસ કરવામાં આવ્યા છે. ૨૦૧૬માં ૪૩૩ વ્યક્તિ, ૨૦૧૭માં ૨૧૩, ૨૦૧૮માં ૭૩૦, ૨૦૧૯માં ૪૭૦, ૨૦૨૦માં ૩૧૦ લાંચિયા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા વિવિધ આંકડાઓ જાહેર કરતા જણાવવામાં આવ્યું હતું કે ૯૦ બુટલેગરની ધરપકડ કરી લેવામાં આવી છે તો જાતીય સતામણીનાં કેસમાં પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં શાસનમાં જે રંજાડ હતી તે દુર કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. લેન્ડ ગ્રેબીંગ મુદ્દે પણ કાયદો બનાવવામાં આવ્યો છે. સરકારે ફ્રી હેન્ડ કામ કરી શકાય તે માટે મોકો આપ્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીએ મોટી જાહેરાત કરતા રાજ્યમાં ૧૯૯૫થી ચાલુ આર.આર.સેલને નાબુદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં દરેક રેન્જમાં આર.આર.સેલ કાર્યરત હતો. આર.આર.સેલનું વિસર્જન થતાં તેના ફાજલ પોલીસમેનો જુદા જુદા જિલ્લામાં ફળવવામાં આવશે. તેમજ દરેક જિલ્લાના એસ.પી.ને વધુ કાયદાકીય તાકાત આપવામાં આવશે. અત્ર નોંધનીય છે કે તાજેતરમાં થોડા સમય પહેલા અમદાવાદ રેન્જનાં આર.આર. સેલના જમાદારને રુ. ૫૦ લાખના તોડપાણી કાંડમાં પકડવામાં આવ્યો હતો.

આ પ્રેસ કૉન્ફરન્સમાં લેન્ડ ગ્રેબિંગ અંગે મહેસૂલ સચિવ પંકજ કુમારે કહ્યું કે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો. આ અંગે અત્યારસુધીમાં ૬૪૭ અરજીઓ આવી છે જેની તપાસ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં ૧૬ એફઆઈઆર દાખલ કરી અને ૩૪ લેન્ડગ્રેબરનો સમાવેશ થાય છે. ૧ લાખ ૩૫૦૦૦ ચોરસમીટરથી વધુની જમીન છે. આ જમીનની જંત્રી કિંમત ૨૨૦ કરોડથી વધારે સંકળાયેલી છે. આ ૧૬ એફઆઈઆરથી આટલા મોટા પ્રમાણમાં દબાણ થયેલી જમીનોનાં મામલા સામે આવ્યા છે. સીએમએ કહ્યું કે ‘કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે માથાભારે તત્વો માથું ન ઉંચકે તે માટે લેન્ડગ્રેબિંગ, સાયબર ક્રાઇમ, ટપોરીઓ જે શરૂઆત કરે અને તેને અંકુશમાં ન કરીએ તો મોટી ગેંગ બનતી હોય છે. ગત વિધાનસભામાં અમે ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ, ખોટા દસ્તાવેજ વગેરેના ગુનાઓ અંગે કાયદા ઘડ્યા છે. આ અંગે સરકારે અધિકારીઓને છૂટો દોર આપ્યો છે. હજુ પણ આપણે એવી રીતે આગળ વધી રહ્યા છે.

રાજ્યમાં પાસા હેઠળ ૧૨૪૬ આરોપીની ધરપકડ

ડીજીપી આશીષ ભાટિયાએ કહ્યુ કે રાજ્યમાં પાસા હેઠળ ૧૨૪૬ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ૯૦ બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જાતિય સતામણી હેઠળ ૧૫ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ગુજસીટોક કાયદા હેઠળ ૧૦૦થી વધુ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા - અમરેલીમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તમામ જિલ્લામાં સાયબર પોલીસ મથક બનશે

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે આરઆરસેલની નાબૂદી કરી અને એસપીની સત્તામાં વધારો કરવામાં આવશે, આ ઉપરાંત હાલની સ્થિતિને જાેતા સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

આરઆરસેલનું કામ શું હોય?

• ગુજરાતના દરેક જિલ્લામાં આર.આર.સેલ અને રેન્જ સ્ક્વોર્ડ હોય છે

• રેન્જ ૈંય્ના સીધા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ કામ કરે છે

• ૩ કે ૪ જિલ્લા મળીને ગુજરાતમાં એક રેન્જ બનાવવામાં આવી છે

• રેન્જના વડા ૈંય્ઁ કક્ષાના અધિકારી હોય છે

• ત્રણ-ચાર જિલ્લાના મળીને બનેલા રેન્જ વિસ્તારમાં આર.આર.સેલ કામ કરે છે

• ગંભીર ગુનાના ડિટેક્શનનું કામ ૈંય્ઁ સેલના અધિકારીને સોંપે છે

• નશીલા પદાર્થોના વેપાર-નિયમન અંગે પણ સીધી કામગીરી ઇ ઇ ઝ્રઈન્ન્ કરે છે

• રેન્જમાં ચાલતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ વિશે આર.આર.સેલ કાર્યવાહી કરે છે