નર્મદા ડેમની જળસપાટી ૧૩૪.૮૦ મીટર પર :  પાણીમાં ધરખમ વધારો
04, સપ્ટેમ્બર 2020

નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં અવિરત પાણી છોડવામાં આવી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે બંધ પાણીની આવકના કારણે ભયજનક સપાટી પર પહોંચી છે. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૪.૮૦ મીટરે પહોંચી છે.ડેમમાં પાણીની આવક ત્રણ લાખ ૮૭ હજાર ૪૦ ક્યુસેક છે. જ્યારે ડેમના ૧૦ દરવાજા પોઈન્ટ આઠ મીટર ખોલવામાં આવ્યા છે.અને ડેમમાં પાણીની જાવક એક લાખ ૧૩ હજાર ૩૨૦ ક્યુસેક છે. નર્મદા બંધ ની જળ સપાટી ૧૩૪.૮૦ મીટર પર પહોંચી હતી. પાણીની આવક માં ઘટાડો નોંધાયો હતો. આવક ૩૮૭૦૪૦ કયુસેક રહી હતી તેમજ જાવક ૧૧૩૩૨૦ કયુસેક. હાલ ૧૦ દરવાજા ૦.૮ મીટરે ખુલ્લા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution