ગાંધીનગર-

ભાજપ 100 ટકા નો રિપીટની થિયેરી સાથે આજે નવા મંત્રીમંડળની રચના કરવા જઇ રહ્યુ છે.જેમાં લગભગ ૨૫ જેટલા નવા મંત્રીઓ આજે શપથ લેશે.ત્યારે મોટભાગના સિનિયર નેતાને આરામ આપવામાં આવ્યો અને યુવાનોને તક આપવામાં આવી છે.ત્યારે એક એવા નેતા છે જેને રિપીટ કરી શકે છે એટલે વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે.જો કે એ આ પહેલા મંત્રીમંડળમાં ન હતા..પરંતુ જૂની સરકારનાં સમયમાં વિધાનસભાના અધ્યક્ષ નવી સરકારમાં મંત્રી બની શકે છે.


ઉલ્લેખનીય છે કે  વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું ધરી દીધું છે. ત્રિવેદીને કેબિનેટ મંત્રી બનાવાય એવી શક્યતા છે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવશે તેથી સ્પીકરપદ છોડનારા વર્તમાન વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ કરાશે એ નક્કી છે.