વલસાડ
સમગ્ર દેશમાં કોરોનાની લહેર જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતની એક હોસ્પિટલમાં હદયને હચમચાવી દેનાર તસવીર સામે આવી છે. રાજ્યના વલસાડ જિલ્લાની એક હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે કોરોના દર્દીઓ વચ્ચે કોરોનાથી મૃત્યું પામેલા લોકોની લાશ ત્રણ દિવસ સુધી રાખવામાં આવી. દર્દીઓને લાશોના ઢગલા વચ્ચે રાખવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ દિવસ સુધી જીવિત દર્દીઓની બાજુમાં બેડ પર પડેલી લાશો સડવા લાગી અને દુર્ગંધ આવવા લાગી. હોસ્પિટલ તરફથી કોવિડ 19ના કારણે મૃત્યું પામના લાશોને સમયસર સ્માશનગૃહ મોકલવામાં આવતી નથી. કેરગામના પનિહાદક ગામના રહેનાર નિરૂબેન ગુલાબભાઇ ગંગોદાનું 15 એપ્રિલના રોજ મૃત્યું થયું હતું. તેમના પરિજન ત્રણ દિવસ સુધી લાશ માટે ભટકે રહ્યા છે પરંતુ તેમને લાશ આપવામાં ન આવી.
તપાસ કરતાં હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે હોસ્પિટલમાં લાશોને રાખવા માટે ઉપયોગમાં આવનાર ફ્રીજર ખરાબ થઇ ગયું છે. જેના લીધે લાશોને બેડ પર જ છોડી દેવામાં આવે છે. તમને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેર હાલ ખૂબ ગંભીર છે. ઘણી હોસ્પિટલોમાં જરૂરી દવા અને ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે.
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments