દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાએ સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૂળ જામનગરના અને છેલ્લા એક અઠવાડિયાથી ભાણવડ રહેવા ગયેલા મુસ્લિમ પરિવારની માતા-પુત્રી અને સાસુએ આર્થિક પરિસ્થિતિથી કંટાળીને સામૂહિક આપઘાત કરતાં ભાણવડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો. ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉં વ.૧૮), માતા નૂરજહાબાનું નૂરમામદ શેખ (ઉં વ. ૪૨), અને સાસુ નમબાનુ સરવણિયા (ઉં વ. ૬૩)એ એકસાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને મૃતક માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું મૂળ કારણ શોધવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments