અંકલેશ્વરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
29, જુન 2020

અંકલેશ્વરમાં કોરોનાના વધુ બે કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

અંક્લેશ્વર, તા.૨૯

અંકલેશ્વરમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં પ્રતિદિન ધીમે પગલે વધારો નોંધાય રહ્યો છે , અને ગ્રામ્ય કક્ષા એ કોવિડ -૧૯ નાં વધુ બે કેસ નોંધાતા તંત્ર માટે ચિંતા નો વિષય બન્યો છે.

અંકલેશ્વર તાલુકાનાં પુનગામ ખાતે રહેતા ૨૬ વર્ષીય યુવાન વિરલસિંહ ઉપેન્દ્રસિંહ ચૌહાણ અને હજાત ગામ માં રહેતા ભૌમિક પટેલ ઉ.વ.૨૬ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો , આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દીઓ ને સારવાર અર્થે કોવિડ - ૧૯ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.અને જરૂરી તકેદારીનાં પગલા લેવામાં આવ્યા હતા.આ સાથે જ અંકલેશ્વર માં કોરોના પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા ૧૫ પર પહોંચી છે. અંકલેશ્વરમાં ગ્રામ્ય ક્ષેત્રમાં કોરોના કેસો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે , અને હવે લોકલ ટ્રાન્સમિશન વધતુ હોવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution