અમદાવાદ-

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બુધવારનો દિવસ ગોઝારા અકસ્માત દિવસ તરીકે પસાર થયો હતો. રાજ્યમાં અલગ-અગલ અકસ્માતમાં 15થી વધારે લોકોના મૃત્યું થયા હતા. ત્યારે આજે ગુરુવારે જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી કાર ખાબકતાં 2 મહિલાના મૃત્યું થયા છે.

મળતી માહિતી મુજબ જામનગર-ખંભાળિયા હાઇવે પર મોડપર ગામના પાટિયા પાસે પુલ પરથી નદીમાં કાર ખાબકતા અકસ્માત સ્થળ પર જ 2 મહિલાના મૃત્યું થયાં. જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી ખાબકતા પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે. મકાનના વાસ્તુ પ્રસંગને લઇને પરિવાર જામનગર જઇ રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.