ભાવનગરથી સાઇકલ યાત્રાએ નીકળેલા લાયન્સ કલબના બે યુવાનો પોરબંદર પહોંચ્યા
24, મે 2022

પોરબંદર, કચ્છ થી શરૂ કરવામાં આવેલ આ સાઇકલ યાત્રા વલસાડ ખાતે પૂર્ણ થશે,આ યાત્રામાં મિલનભાઈ રાવલ અને શૈલેન્દ્ર ભાઈ ગોહિલ ભાગ લઈ રહ્યા છે, યાત્રા ના ભાગ રુપે આ બંને યુવાનો પોરબંદર પહોંચ્યાં છે. અહીં લાયન્સ ૨હઙ્ઘ વિડીજી હિરલબા જાડેજા, પ્રમુખ પંકજ ચંદારાણા, સેક્રેટરી કેતન હિંડોચા, આશિષ ભાઈ પંડ્યા, નીધી બેન શાહ, ગોપાલ ભાઈ લોઢારીએ આ યુવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું અને યાત્રા માટે શુભેચ્છા પાઠવી છે. ગુજરાતના ૧૬૦૦કિમી દરિયાકાંઠાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ સાયકલ યાત્રા ૩૦ મે ૨૦૨૨ સુધી ચાલશે. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના ૧૪ જિલ્લા અને ૪૦ જેટલા તાલુકાઓમાંથી આ સાયકલ યાત્રા પસાર થશે. આ સાયકલ યાત્રા સારા સ્વાસ્થ્ય માટે સાયકલિંગને પ્રમોટ કરવા, દરિયા કિનારાના પર્યટન સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમ કરવા તથા દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા માટે ભંડોળ, સેવા, નીધી, સામગ્રી એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution