દિલ્હી-

લાંબી માંદગી બાદ ગુરુવારે સાંજે કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનનું અવસાન થયું. તેમના પુત્ર અને એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આ વાતની પુષ્ટિ કરી છે. ચિરાગ પાસવાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, "પાપા .... હવે તમે આ દુનિયામાં નથી પરંતુ હું જાણું છું કે તમે હંમેશાં જ્યાં હો ત્યાં રહો છો. મિસ યુ પાપા ...".

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા જ તેમના હૃદયનું એક ઓપરેશન પણ થયું હતું. આ મામલો ચિરાગ પાસવાને પણ શેર કર્યો હતો. ચિરાગ પાસવાને પણ પોતાની ટવીટમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તેના પિતાનું બીજું ઓપરેશન થવાનું છે.