કોરોના અંગે જન જાગૃતિ માટે કોરોના વોરિયર્સના પુતળા દ્વારા અનોખો પ્રયાસ 
14, ઓક્ટોબર 2020

જામનગર-

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે કોરોના સામે જાગૃતતા લાવવા માટે વિવિધ લોકો અને વિવિધ સંસ્થાઓ કામગીરી કરતી હોય છે. જે અંતર્ગત જામનગરના કડિયાવાડમાં કોરોના સામે જાગૃતિ લાવવા માટે ડૉક્ટર્સ, નર્સ વગેરે કોરોના વોરિયર્સના પૂતળાં લગાવવામાં આવ્યાં છે. આ અંગે ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે, અહીંયાથી પસાર થતા લોકોને જાગૃત કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક લોકો આ પ્રકારના પ્રયાસ કરશે, તો કોરોના સરળતાથી કાબૂમાં આવી શકશે. સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે કોરોના સામે જાગૃતતા લાવવા માટે વિવિધ લોકો અને વિવિધ સંસ્થાઓ કામગીરી કરતી હોય છે. જે અંતર્ગત જામનગરના કડિયાવાડમાં કોરોના સામે જાગૃતિ લાવવા માટે વિવિધ પૂતળાં લગાવવામાં આવ્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution