વડોદરા: મોટા ભાગના નેતાઓ કોરોના નેગેટિવ, CM સાથે આવ્યા હતા સંપર્કમાં
16, ફેબ્રુઆરી 2021

વડોદરા-

રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સભામાં લથડી હતી. આ બાદ તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાદ સોમવારે વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાદ સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં સાંસદ રંજન ભટ્ટ, પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર, પૂર્વ મેયર જીગીષા શેઠે ટેસ્ટ કરાવ્યા છે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મહામંત્રી સુનિલ સોલંકી અને જશવંતસિંહ સોલંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ મોટા ભાગના નેતાઓનો રિર્પોટ નેગેટીવ આવતા શહેર ભાજપમાં હાશકારો જોવા મળી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution