વડોદરા:ચાંદોદથી 42 જુગારીઓને  પોલીસે ઝડપ્યા
21, જુલાઈ 2020

વડોદરા-

શ્રાવણ મહિનામાં કાઠીવાય સહિત રાજ્યની અનેક જગ્યાએ લોકો જુગાર રમતા ઝડપાય છે.હાલ શ્રાવણ મહિના શરુ થયાના પહેલા અમદાવાદ અને સુરતમાં જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા એવામાં ગઇ કાલે રાતે શહેરમાં પોલીસ દ્વારા એક જુગારધામ છાપો મારવામાં આવ્યો હતો.

આજની પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઇ છે,ત્યારે શ્રાવણ મહિનામાં અનેક લોકો જુગાર રમતા પોલીસના હથ્થે ચઢે છે. ગઇ કાલે મોડી રાત્રે તીર્થધામ ચાંદોદ ખાતે આવેલી ખારવા સમાજ ની વાડી માં ચાલતું જુગારધામ ઝડપાયું હતું જેમાં 42 લોકોની ધરપકડ કરવામાં આવી હતી સાથે 6 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી મોડી રાતે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution