વડોદરા-

વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આગામી સોમવાર થી કોવિડ વિષયક તકેદારીના ભાગરૂપે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રેપિડ ડોર ટુ ડોર આરોગ્ય સર્વે શરૂ કરવાની જિલ્લા આરોગ્ય તંત્રને સૂચના આપી છે. તેમણે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા આરોગ્ય સેવાઓને સઘન બનાવવા પણ જણાવ્યું છે.

જિલ્લા કલેકટરે આજે જિલ્લાના પ્રાંત અધિકારિઓ,મામલતદારો,તાલુકા આરોગ્ય અધિકારીઓ,નગર પાલિકાઓ ના ચીફ ઓફિસરો સાથે વિડિયો કોન્ફરન્સ થી બેઠક યોજીને આરોગ્ય પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. તેમણે પ્રશાસન,પોલીસ અને આરોગ્ય તંત્ર સંકલન કરીને ગ્રામ વિસ્તારોમાં માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સ સહિત ની કોવિડ તકેદારીઓ નું ચુસ્ત પાલન કરાવે તેઓ અનુરોધ કરવાની સાથે આરોગ્ય જાગૃતિ શિક્ષણ સઘન બનાવવા જણાવ્યું હતું.