ગુજરાતમાં  કોરોના નવા 990 નવા કેસ સાથે કુલ આંકડો 1,77,598 પર પહોંચ્યો
05, નવેમ્બર 2020

ગાંધીનગર-

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 990 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,77,598 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 90.95 ટકા થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 51,546 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 63,13,668 પર પહોંચ્યો છે.

1055 દર્દીઓ થયાં સાજા, 7 દર્દીઓના મોત 

આજે 1055 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,61,525 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,747 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસ 12,326 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. 

આ 3 મહાનગરોમાં સૌથી વધુ કેસ, વલસાડમાં 2 દિવસથી 1 પણ કેસ નહીં 

રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 217, અમદાવાદમાં 173, વડોદરામાં 115 અને રાજકોટમાં 94 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જોકે જામનગર, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં કોરોનાના કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદર અને બોટાદમાં 1-1 અને વલસાડમાં આજે એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે સાબરકાંઠામાં 17 નવા કેસ, 40 દર્દીઓ સાજા થયા છે. જ્યારે ભરૂચમાં 9 નવા કેસ, 31 દર્દીઓ સાજા થયા છે. તો દેશ-વિદેશના કેટલાક વૈજ્ઞાનિકોએ આશંકા દર્શાવી છે કે શિયાળાની ઋતુમાં વિશ્વએ કોરોના વાયરસની 'બીજી લહેર'નો સામનો કરવો પડી શકે છે જે પહેલાંથી ઘણો વધારે ઘાતક હશે. તેથી હવે કોરોનાથી વધુ સાવચેત રહેવાનો સમય આવી ચૂક્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution