વડોદરા : યોગી ડિવાઈન સોસાયટી હરિધામ સોખડા દ્વારા ઓનલાઈન મહાપૂજાનું આયોજન વડોદરા પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૦૦ કુટુંબોએ ઓનલાઈન મહાપૂજાનો લાભ લીધો હતો. મહાપૂજા સવારે ૧૦.૧૫ કલાકે પ.પૂ. પ્રાણેશજીવન સ્વામીજી દ્વારા આરંભ કરવામાં આવ્યો હતો. મહાપૂજામાં વડીલ અને ચૈતન્યજનની સમાન પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી, પૂ. પ્રબોધજીવન સ્વામીજી, વડોદરા પ્રદેશ પ્રાદેશિક અને પૂ. સુચેતન સ્વામીજી ઉપસ્થિત હતા. પ્રદેશ માટે પણ ઓનલાઈન મહાપૂજાનો કન્સેપ્ટ નવો હતો પરંતુ અદ્‌ભુત આયોજન સાથે મહાપૂજા સંપન્ન થઈ હતી. ઓનલાઈન સમૂહ મહાપૂજાનો મુખ્ય ઉદ્દેશ સર્વ હરિભક્તોની કોરોનાની મહામારીમાં રક્ષા થાય અને સમગ્ર દેશની પ્રજાને કોરોનાના આફતની સામે ઝઝૂમવાનું ભગવાન સ્વામીનારાયણ ગુરુહરિ સ્વામીજી બળ આપે એ માટે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.