રાજસ્થાન બિકાનેર-જોધપુર માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત, 8 ઘાયલ
31, ઓગ્સ્ટ 2021

બિકાનેર-

ઓવરસ્પીડ કારની સમસ્યા સડકો પર વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ બિકાનેરના નોખા અને નાગૌર જિલ્લાના શ્રી બાલાજી ગામ વચ્ચે બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, બિકાનેર-જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે આવેલા શ્રી બાલાજી ગામ નજીક ક્રુઝર કાર અને ટ્રેલર સામસામે ટકરાયા હતા. અથડામણમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણવવામાં આવી રહ્યું છે, જેમને નોખા અને બિકાનેરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ક્રુઝરમાં સવાર તમામ મધ્યપ્રદેશના સજ્જનખેડવ દૌલતપુરના રહેવાસી છે. જિલ્લા નોખા નાગૌરની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution