દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થઇ જતાં ૧૧ લોકોનાં મોત
19, એપ્રીલ 2025


નવી દિલ્હી,દિલ્હીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં શુક્રવારે સવારે એક મોટો અકસ્માત થયો છે. મુસ્તફાબાદ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં કાટમાળ નીચે દટાઈ જવાથી ૧૧ લોકોના મોત થયા હતા. બચાવ ટીમે તમામ ૧૧ મૃતદેહો બહાર કાઢ્યા છે. જ્યારે ૫ ગંભીર રીતે ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગેના વીડિયો પણ સામે આવ્યા છે. દિલ્હી પોલીસે મુસ્તફાબાદ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની યાદી જાહેર કરી. આ યાદી મુજબ, મકાન માલિક, તહસીન, જે ૬૦ વર્ષના હતા, તેમણે આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા ૧૧ લોકોમાંથી ૮ લોકો એક જ પરિવારના હતા. મૃતકોમાં ૩ મહિલાઓ અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. ઇમારતના કાટમાળ નીચે દટાઈ જવાથી અને ઘાયલ થવાથી ૧૧ લોકોના મોત થયા હતા. ઘાયલોમાંથી ૬ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution