દિલ્હી-

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરનો ભરાવો ચાલુ છે. અવિરત વરસાદને કારણે ગુજરાતના અનેક ડેમ ભરાયા છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભય વધ્યો છે. ભયને જોતા શનિવારે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે સરદાર સરોવર ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

પાણી છોડતા પહેલા ભરૂચ ગામને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમના નિર્માણ બાદ બીજી વાર 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. અગાઉ નર્મદા સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. સરદાર સરોવર ડેમ હાલમાં 130 મીટરની ઉપરથી વહી રહ્યો છે. નર્મદાની આજુબાજુના 30 ગામોને એલર્ટ કરાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધુ વધારો થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને દરવાજા ખોલવાની સૂચના જારી કરવામાં આવી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીના સતત પ્રવાહને કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદાની આજુબાજુના ઘણા ગામોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.