દિલ્હી-
સોમાલિયામાં ફસાયેલા 33 ભારતીય કામદારોને સ્વદેશ પરત લાવવામાં ભારતીય વિદેશ મંત્રાલયને મોટી સફળતા મળી છે. આ 33 ભારતીયોમાં ગુજરાતના નાગરિકો પણ સામેલ છે. આ માહિતી કેન્યા સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી જાહેર કરી છે. તે અનુસાર 11 કામદારોનું પહેલું ગ્રુપ 15 ડિસેમ્બરે મેગાદિશુ એરપોર્ટ પરથી ભારત આવવા માટે રવાના થયું હતું.
ભારતીય વિદેશ મંત્રાલય તરફથી મળેલી જાણકારી પ્રમાણે 33 ભારતીય નાગરિકો સોમાલિયાની એક કંપનીમાં કામ કરતા હતા જ્યાં તેમને પગાર ચૂકવવામાં આવતો ન હતો. તેઓ ઘણા સમયથી ત્યાં ફસાયેલા હતા. ઓક્ટોબર મહિનામાં કેન્યા સ્થિત ભારતીય મિશન દ્વારા આ મામલો પૂરજોશથી ઉઠાવવામાં આવ્યો હતો.
મિશનના અધિકારીઓ કેન્યાથી સોમાલિયા ગયા અને વિદેશ વિભાગની મદદથી અધિકારીઓએ ત્યાં કંપની અને કર્મચારીઓ સાથે વાતચીત કરી. વાતચીત બાદ કંપનીના અધિકારીઓ ભારતીયોને મળવાપાત્ર પગાર ચૂકવવા માટે સહમત થયા હતા. જે કામદારો ભારત પરત જવા માંગતા હતા તેમને પરત મોકલવા માટે પણ કંપની સાથે સહમતિ બની હતી.
આ મામલે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, ‘‘ભારતીય કામદારોને સુરક્ષિત પરત મોકલવા માટેના આ સકારાત્મક અભિગમ બદલ અમે સોમાલિયાના આભારી છીએ. પહેલા ગ્રુપમાં અત્યારે 33માંથી 11 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. આવનારા અમુક અઠવાડિયામાં બાકીના 22 ભારતીયોને પણ પરત લાવવામાં આવશે. દરેક કામદારો ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને પંજાબના રહેવાસી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments