મહુધા : હાલ કોવિડ-૧૯ની મહામારીને પગલે દેશમાં લોકો આર્થિક સંકળામણમાં આવી જતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશ અને દેશવાસીઓને આર્થિક સંકળામણમાંથી બહાર લાવવા મોટા ભાગના પદાધિકારીઓના પગારમાં કાપ મૂક્યો છે. ત્યારે પીએમની કાર્ય પદ્ધતિને વ્હારે આવી મહુધાના નાની ખડોલના વિજયભાઇ પટેલ દ્વારા ખેડા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતિભાઇ સોઢાની હાજરીમાં પીએમ કેર ફંડ માટે ૨૫ હજાર રૂપિયાનો ચેક કલેક્ટરને આપવામાં આવ્યો હતો.