વડોદરાના યુવકે સંખેડાની લોટીયા પાસે નર્મદા કેનાલમાં છલાંગ લગાવતાં મોત
30, નવેમ્બર 2020

ડભોઇ

વડોદરા ખાતે ના વાધોડિયાા રોડ પાસે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર લાગી આવતા સંખેડા તાલુકાના લોટીયા પાસેેેની નર્મદા માઇનોર કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. તેઓને મૃત હાલતમાં લાશ ડભોઇ તાલુકા ની જૂની માંગરોળ કેનાલ ખાતેથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  

ડભોઇ પોલીસ માથી જાણવા મળતી વિગતો અનુસાર જય કુમાર જગદીશ ચંદ્ર શાહ ઉંમર વર્ષ ૩૧ રહે, હરી દર્શન એપાર્ટમેન્ટ સૂર્ય નગર બસ સ્ટેન્ડ પાસે વડોદરા ના બે દિવસ પહેલા કોઈ અગમ્ય કારણસર તેઓને લાગી આવતા ઘરેથી નીકળી સંખેડા તાલુકાના લોટીયા ગામ પાસે આવેલી નર્મદા માઇનોર કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. પરિવારો ના સભ્યો દ્વારા તપાસ કરતાં તેનો કોઈ અતો પતો ન હતો.

દરમિયાન ડભોઇ તાલુકાના જૂની માંગરોલ નર્મદા માઇનોર કેનાલ ના પાણી માં મૃત હાલતમાં લાશ મળી આવતા બનાવ અંગે ડભોઇ પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી જઈ લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરતા તેઓના સગાસંબંધીઓનો સંપર્ક કરી પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારને લાશનો કબજો પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution