અભિષેકે ટ્વીટ કરી ઐશ્વર્યા અને આરાધ્યા અંગે જાણકારી આપી 
13, જુલાઈ 2020

હવે અભિષેક બચ્ચને પણ એક ટ્વીટ કરી લોકોનો આભાર માની અને પરિવારના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. અભિષેકે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોવિડ -19 પોઝિટિવ છે. તે ઘરે આસોલેશનમાં જ રહેશે. આ મામલે BMC ને અપડેટ કરવામાં આવ્યું છે અને તેઓની દેખરેખ રાખી રહ્યા છે.

મારી માતા જયા બચ્ચન મારા પરિવારમાં અન્ય લોકો કોરોના નેગેટિવ છે. તમારી બધી પ્રાર્થના માટે ખૂબ ખૂબ આભાર.અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

અમિતાભને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, અભિષેકને હળવો તાવ આવ્યો હતો, ત્યારબાદ બંનેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને બંને સ્ટાર્સ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ઐશ્વર્યા અને આરાધ્યામાં કોરોનાનાં કોઈ લક્ષણો નથી એટલે કે તેઓ એસિમ્પટમેટિક છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution