અમદાવાદ-

દિવાળીના તહેવારો અને શિયાળાની ઋતુ શરૂ થતા કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. રાજ્ય અને અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના નાથવા અમદાવાદ મ્યુ. કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.  સાથે આગામી સુચના ના મળે ત્યાં સુધી આ નિર્ણય લાગુ રહેશે.