અમદાવાદ-
અમદાવાદની સુપ્રસિધ્ધ રાજપથ અને કર્ણાવતી ક્લબ આવતીકાલે સોમવારથી શરૂ થઈ જશે તેમ જાણવા મળે છે કોરોના ને કારણે લાંબા સમયથી બંને કલબ બંધ હતી. શહેરમાં કોરોના કેસ વધતા રાત્રી કર્ફ્યૂ લાગુ કરાયો, તેની સાથે જ શહેરની ક્લબોને બંધ કરાઇ હતી. જેમાં શહેરની કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબને પણ કોવિડની પરિસ્થિતિ જોતા બંધ કરી દેવાઇ હતી. જે સોમવારથી માત્ર ક્લબ મેમ્બર માટે શરૂ કરવામાં આવી રહી છે. ક્લબના મેમ્બરોને કમ્પ્લસરી માસ્ક સાથે જ એન્ટ્રી અપાશે. કલબમાં સ્વિમિંગ સિવાયની તમામ એક્ટિવિટી હેલ્થ ક્લબ, જોગિંગ ટ્રેક, ટેનિસ કોર્ટ, ટેબલ ટેનિસ, બેડમિંટન, બિલિયર્ડ રૂમ, સ્કવેશ કોર્ટ, કાર્ડ રૂમ, વોલિબોલ શરૂ કરાયા છે. હાલમાં ક્લબનો સમય સવારે 6.30થી 10 અને સાંજે 5થી 7.30 સુધીનો રહેશે. જ્યારે કર્ણાવતી ક્લબમાં સાઇડ વોક કેફે ગુરુવારથી શરૂ કરાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments