અરવલ્લી-

મોડાસાના ડુંગરવાડા રોડ પર આવેલી રસુલ્લાહબાદ હાઉસીંગ સોસાસટીમાં રહેતા ઇકબાલભાઇના મકાનમાં તસ્કરો  રાત્રિએ ત્રાટક્યા હતા. તેઓ ચાર રૂમવાળા મકાનના એક રૂમમાં જનરલ સ્ટોર્સની દુકાન ચલાવે છે. રોજ મોડાસામાં આવેલી સર્વોદય બેંકમાંથી તેઓ રૂ.3.10 લાખ રોકડ ઉપાડી લાવ્યા હતા. આ રકમ તેમને સોમવારે એક વેપારીને આપવાની હોવાથી તેમણે દુકાનના કબાટમાં મુકી હતી. જો કે વહેલી સવારે દુકાનનો નકુચો તુટેલો જોઇ ઇકબાલભાઇના હોશ ઉડી ગયા હતા. તેમણે દુકાનની અંદર તપાસ કરી ત્યારે ખબર પડી કે કબાટમાં મુકેલા રૂ. 3.10 લાખ રોકડની ચોરી થઇ ગઇ છે ત્યારે તેમના માથા પર જાણે આભ ફાટ્યું હતું. દુકાન અને મકાન એક જ ઇમારતમાં હોવા છતાં ચોરે બિન્દાસ્ત ચોરી કરી અને દુકાનમાલિકને ખબર સુદ્વા ન પડી. આશ્વર્યજનક વાત તો એ છે કે લોકોની અવરજવરથી ધમધમતો રોડ હોવા છતાં કોઇને પણ ચોરી થતી હોવાની શંકા પણ ન થઇ. અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુંગરવાડા રોડ પર આવેલા રસુલ્લાહબાદ સોસાયટીની એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો મકાનની અંદર મુકેલા રૂ. 3.10 લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.