ભરૂચ-

ભરૂચના ગુમાનદેવ ગામે અકસ્માતમાં 3 મહિલાઓના મૃત્યુ થયા છે. અજાણ્યા વાહન ચાલકે વહેલી સવારે મહિલાઓને અડફેટે લીધી હતી. ત્યારે અકસ્માતની ઘટના બાદ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. મહિલાઓએ ગામના મંદિરના મહંતને માર માર્યો છે. મંદિરનો CCTV કેમેરો ન ચાલતો હોવાથી માર માર્યો છે. અકસ્માતને પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો, જેને કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ઝઘડિયાના ગુમાનદેવ નજીક અજાણ્યા વાહનની અડફેટે 3 મહિલાના મોત થયા છે. બે મહિલાના ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમ્યાન મોત નિપજતા મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. ત્રણ મહિલાઓના મોતને પગલે ગામના લોકો વિફર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. ભરૂચના ગુમાનદેવ ગામે અકસ્માતમાં 3 મહિલાઓના મૃત્યુ થયા છે. અજાણ્યા વાહન ચાલકે વહેલી સવારે મહિલાઓને અડફેટે લીધી હતી.