દિલ્હી-

ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની ભારતને લઈને હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને પોતાના મંચ પર મહત્વપૂર્ણ સાર્વજનિક ચર્ચાની સુવિધા આપી રહી છે. અમે ભારત સરાકરને વચન આપીએ છીએ કે, ટ્વિટર નવા દિશાનિર્દેશનું પાલન કરવા માટે દરેક પ્રયત્ન કરી રહ્યું છે અને અમારી પ્રગતિનું સંક્ષિપ્ત વિવરણ વિધિવત રીતે નક્કી કરવામાં આવ્યું છે. અમે ભારત સરકારની સાથે સકારાત્મક વાતચીત કરતા રહીશું. ઉલ્લેખનીય ચે કે, સરકારે સોશિયલ મીડિયા કંપનીઝ માટે નવા આઈ. ટી નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમ અંતર્ગત ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા મોટા સોશિયલ મીડિયા મંચ પર વધુ ઉપાયની જરૂર પડશે, જેમાં ભારતમાં મુખ્ય પાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂક સામેલ ચે.

આ પહેલા મંત્રાલયે પોતાની નોટિસમાં કહ્યું હતું કે, ટ્વિટર દ્વારા આ નિયમોનું પાલન ન કરવું તે દર્શાવે છે કે, આ માઈક્રોગ્લોબિંગ સાઈટમાં ભારત પ્રત્યે પ્રતિબદ્ધતાની અછત છે અને આ ભારતના લોકોને પોતાના મંચ પર સુરક્ષિત અનુભવ રજૂ કરવાનો પ્રયાસ નહીં કરવા માગતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં લગભગ એક દશકથી વધારેનું સંચાલન છતા આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે ટ્વિટર એક એવું તંત્ર વિકસિત કરવાથી ખચકાતું રહ્યું છે, જેનાથી ભારતના લોકોને તેમના મંચ પર પોતાના મુદ્દાઓને સમયબદ્ધ અને પારદર્શક અને સારી પ્રક્રિયાથી સમાધાનમાં મદદ મળશે.