ડભોઇ

ડભોઇ ના પનોતા પુત્ર એવા ભક્ત શિરોમણી કવિ દયારામભાઈ ની જન્મજયંતી નિમિત્તે દયારામ કેળવણી મંડળ સંચાલીત તમામ શાળા ના શિક્ષકો દ્વારા સણગાર વાડી વિસ્તાર માં આવેલ ભક્ત કવિ દયારામ ની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી તેમજ શાળા હૉલ ખાતે તેમની ગરબીઓ ની રમઝટ બોલાવી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દિપકભાઈ ભોઇવાલા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો.ડભોઇ દયારામ કેળવણી મંડળ સંચાલીત દયારામ શારદા મંદિર સહિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સહિત ની તમામ શાળાઓ દ્વારા ભક્ત શિરોમણી કવી દયારામ જયંતિ ની ઉજવણી પ્રમુખ દિપકભાઈ ભોઇવાલા ના માર્ગદર્શન હેઠળ આચાર્ય અંકુરભાઈ પટેલ ના અધ્યક્ષતામાં ઉજવામાં આવી હતી આ પ્રસંગે ડભોઇ સંગારવાડી ખાતે આવેલ ભક્ત કવી દયારામની પ્રતિમા ને ફૂલહાલ અર્પણ શાળા ના શિક્ષકો અને આચાર્ય દ્વારા કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભક્ત કવી દયારામ માર્ગ ને ઉજાગર કરવા રેલ્વે સ્ટેશન ખાતે આવેલ તેમના સ્મારક ને ફૂલહાલ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ શાળાના બાળકો દ્વારા બપોર શાળા ખાતે ભક્ત કવી દયારામ ની ગરબીઓ અને કવીતાઓ સહિત તેમના જીવન અને કવન ઉપર ઉદબોધન વિધ્યાર્થીઓ દ્વારા અપાયું હતું અને તેમની ગરબીઓ ઉપર રાસ ની રમઝટ શાળાની યુવતીઓ દ્વારા બોલાવાઈ હતી .