દિલ્હી-

નાણામંત્રીએ સોમવારે બજેટ રજૂ કરતી વખતે શિક્ષણસુધાર અને ભંડોળ ફાળવણી બાબતે કહ્યું હતું કે, દેશભરમાં 100 જેટલી સૈનિક સ્કૂલો સ્થાપવામાં આવશે. એટલું જ નહીં પણ આદિવાસી વિસ્તારોમાં પણ શિક્ષણનો સુધાર કરવા માટે વધારે સંખ્યામાં એકલવ્ય શાળાઓ સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, સરકાર શિક્ષણસુધાર માટે કટિબદ્ધ છે અને લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.