રથનું સમારકામ 
21, મે 2022

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ના ૩એ રથનું સમારકામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસે ભગવાનના ૩ રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવાન પાસે રથનું સમારકામ કરવાની પરવાનગી માગવામાં આવી હતી. ૧૬ જૂનના રોજ ભગવાનની જળયાત્રા નીકળશે જેમાં રાજ્યના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ૧ જુલાઇના રોજ જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે હાથી. ઘોડા, ટ્રકો અખાડા સાથે નગરચર્યા કરવા માટે નીકળશે. કોરોના મહામારીના ૨ વર્ષ બાદ ભગવાનની ભવ્ય રથયાત્રા યોજાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution