ગીર સોમનાથ-

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોમનાથમાં નવનિર્મિત ચાર પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે વહેલી સવારે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે સોમનાથ મહાદેવના દર્શન અભિષેક અને પૂજા કરીને આજે લોકાર્પણ થવા જઇ રહેલા તમામ પ્રકલ્પોને ભવ્યાતિભવ્ય સફળતા મળે તેવી સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ તેમની પત્ની સાથે સોમનાથ મહાદેવ પર જળાભિષેક કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણી પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યાં હતાં અને સોમનાથના સુવર્ણ ઇતિહાસમાં ચાર પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. સીએમ રૂપાણી આજે સોમનાથના ચાર પ્રકલ્પનું લોકાર્પણ કરવા માટે સોમનાથ આવ્યાં હતાં. મુખ્યમંત્રી રૂપાણીએ તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે સોમનાથ મહાદેવને અભિષેક કર્યો હતો અને આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેમાં ભવ્યાતિભવ્ય સફળતા મળે તેવી સોમનાથદાદાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.