CM વિજય રૂપાણી અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત નલિયાના ચૂંટણી પ્રવાસ કરશે
22, ઓક્ટોબર 2020

અમદાવાદ-

વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં 22 ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો અબડાસા વિધાનસભા સીટ અન્વયે અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમભાઈ રૂપાલાનો ગઢડા વિધાનસભા સીટ અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અબડાસા સીટના ભાજપાના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં 22 ઓક્ટોબરના રોજ તેઓના નલિયા શહેરના પ્રવાસ દરમ્યાન 11:00 કલાકે જંગલેશ્વર મેદાન ખાતે જાહેરસભાને સંબોધશે અને ત્યારબાદ બપોરે 12:00 કલાકે ઓધવરામ ફાર્મ, ખાતે સામાજિક અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ વર્ગોના સમાજ શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરશે. જ્યારે પરસોત્તમભાઈ રૂપાલા ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર આત્મારામભાઇ પરમારના સમર્થનમાં 22 ઓક્ટોબરના રોજ સવારે 10:00 કલાકે જલાલપુર ખાતે, બપોરે 11 કલાકે માંડવા ખાતે જૂથ બેઠકોમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ત્યારબાદ બપોરે 3:00 કલાકે માંડવધાર, 6:00 કલાકે દડવા અને સાંજે 7:00 કલાકે પાટણા ખાતે જાહેરસભામાં ઉપસ્થિત રહી સંબોધન કરશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution