ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના વાયરસે પોતાનું વિકરાળ સ્વરૂપ ઘારણ કરી દીધું છે. સૌથી વધુ હાલત સુરત અને અમદાવાદની ખરાબ છે. હાલ કેન્દ્રની આરોગ્ય ટીમે સુરતમાં ધામા નાંખ્યા છે. રાજ્ય સરકારે પણ મહાનગરોના ૨૦ શહેરોમાં રાત્રિ કરફ્યૂના સમયમાં વધારો કરી દીધો છે. સરકાર અને તંત્ર જેમ બને તેમ ઓછા લોકો ભેગા થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે. જેથી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બંધ કર્યા બાદ આજે રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે.

રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા રાત્રિ કફ્ર્યૂના કારણે જી્‌ બસ સેવાને મોટી અસર પહોંચી છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. એસટી વિભાગે મહેસાણા ડિવિઝનની ૮૦૪ ટ્રીપ રદ કરી નાંખી છે. આજે ફક્ત સાંજે ૭ વાગ્યા સુધી જે ટ્રીપ હશે ત્યાં પહોંચી શકે છે. બસ સેવા બંધ થતા મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ વધી રહી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે મહેસાણા ડિવિઝનના ૧૧ જી્‌ ડેપોની ૮૦૪ ટ્રીપ રદ્દ કરી દેવામાં આવી છે. મહેસાણા ડેપોની ૧૦૩ ટ્રીપો રદ કરાઈ છે. રાત્રી કરફ્યુને લઈ મહેસાણા ડિવિઝને આ ર્નિણય લીધો છે. બીજી બાજુ ભાવનગર એસટી ડિવિઝન દ્વારા પણ એક ર્નિણય લેવાયો છે. જેમાં ભાવનગર ડિવિઝનના ૮ ડેપોની રાત્રિ દરમ્યાન ચાલતી એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે. રાત્રે ઉપડતી લાંબા રૂટની કુલ ૬૨ એક્સપ્રેસ બસ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે.

જાણવા મળી રહ્યું છે કે એસટી વિભાગ દ્વારા જે રૂટની રાત્રિ એક્સપ્રેસ બસો બંધ કરવામાં આવી છે એવા સુરત, ભુજ, જામનગર, અમદાવાદ, બરોડા, દાહોદ, દિવ, હળવદ, ઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, વલસાડ, માતાના મઢ સહિતના રૂટની બસ બંધ રહેશે, એસટી ડિવિઝન દ્વારા સાંજે ૭ વાગ્યા બાદ ઉપડતી બસો બંધ કરવામાં આવી છે. આ તમામ બસો સવારે ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી જ મુસાફરી માટે ચાલુ રાખવામાં આવશે અને કરફ્ર્યૂના સમય દરમ્યાન ૬૨ જેટલા રૂટની બસ બંધ રહેશે, જે અંગે ભાવનગર એસટી ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.