અમદાવાદ, કોવિડ -૧૯ની બીજી લહેરના આ વસમા સમયમાં પણ ભાવનગરની માત્ર સાત માસની દિકરી અનન્યાએ અમદાવાદ સિવિલમાં જે રીતે કોરોના સંક્રમણ અને ગંભીર સર્જરીનો સામનો કરીને મોત સામેનો જંગ જીત્યો છે અને ફરી હસતી રમતી થઈ છે ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની સાત મહિનાની દિકરી અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી. અંદરના દબાણથી પેટ પણ ફૂલી જવાની અને ભારે તાવની પણ સમસ્યા હતી. વધુમાં ૪-૫ દિવસથી ઊલટીઓ પણ થતી હતી. અનન્યાની તકલીફોની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભાવનગરના તબીબોએ અનન્યાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવા જણાવ્યું હતું. અમદાવાદ સિવિલમાં બાળકીને બાળ ચિકીત્સા વિભાગમાં દાખલ કરાઈ હતી સૌથી પહેલા તેને સ્ટેબિલાઇઝ કરાઈ અને સાથોસાથ તેના વિવિધ ટેસ્ટ્‌સ હાથ ધરાયા. અનન્યાનું હિમોગ્લોબિન નીચું હતું. રિપોર્ટમાં નાના આંતરડાનો ભાગ મોટા આંતરાડામા ધૂસી જવાની સ્થિતિ હોવાનું જણાયું હતું જેના કારણે પેટ ફુલી જાય અને ઉલટીઓ થવા લાગી. અધૂરામાં પૂરું બાળકીનો કોવિડ-૧૯નો ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.ડોક્ટર્સે પણ આ પડકાર બરાબર ઝીલ્યો અને ૨૮ એપ્રિલના દિવસે બાળકી ઉપર ઇમરજન્સી સર્જરી કરાઈ. ઓપરેશન દરમિયાન જણાયું કે બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ ૧૫ સે.મિ. જેવડો હિસ્સો સડાગ્રસ્ત થઈ ગયો હતો. શરીરમાંથી નકામા ખોરાકને બહાર કાઢનારી એક ટ્યૂબ ઉપર પણ સોજા હતાં. આંતરડાનો સડાવાળો ભાગ કાઢી નખાયો હતો. આ જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળ ચિકીત્સા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી દ્વારા કરાઈ હતી. ઍનિસ્થીઝયા ટીમનું નેતૃત્વ ડૉ. ભાવના રાવલે સંભાળ્યું હતું. ઓપરેશન બાદ કોવિડ-૧૯ની એક્સ્પર્ટ સંભાળ માટે અનન્યાને બાળ ચિકીત્સા વિભાગમાં ડૉ. જાેલી વૈશ્નવ, ડૉ. અનુયા ચૌહાણ અને ડૉ. હેપ્પી પટેલની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી તેને શ્વસનમાં તકલીફ થતા તેને એરવો સપોર્ટ પર રખાઈ હતી. ધીરે ધીરે અનન્યાની હાલત સુધરવી શરૂ થઈ અને તેના પરથી ઓક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો. ઓપરેશન પછીના ચોથા દિવસથી તેણે ફિડિંગ શરૂ કરી દીધું. તે ખોરાકને સારી રીતે પચાવે છે અને નકામો ખોરાક સ્ટોમી દ્વારા બહાર નીકળે છે. સિવિલ હોસ્પિટલના બાળ ચિકીત્સા વિભાગના વડા અને એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષીના જણાવ્યા મુજબ ૩થી લઇને ૮ મહિનાની વયના બાળકોમાં આંતરડાને લગતો અવરોધ સર્જાવા પાછળ ઇન્ટુસસસેપ્શન એ સૌથી સર્વસામાન્ય કારણ છે.