પોરબંદર-
પોરબંદરથી 32 કિમી આસપાસ અનેક ગામડાઓમાં આજે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. ડિઝાસ્ટર કચેરી દ્વારા મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં રાત્રે 1 વાગ્યે 1.8ની તીવ્રતાનો સવારે 8.05 વાગ્યે 3.3 તીવ્રતાનો અને સવારે 8.25 વાગ્યે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
પોરબંદરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી દ્વારા જણાવ્યા અનુસાર, 9 ઓકટોબરે પોરબંદરથી 32 કિમી આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે સામાન્ય પ્રકારનો આંચકો હોવાથી લોકો પણ આ આંચકાથી અજાણ હતા. ભૂકંપના આંચકાની ભોમિયાવદરમાં વધુ અસર હોવાનું જાણવા મળ્યું હતું. 8 ઓક્ટોબરે બપોરે 12.45 વાગ્યે પોરબંદરના બરડા પંથકના સોઢાણા, નાગકા સહિતના ગામોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂંકપની તીવ્રતા 1.6ની હોવાનું ડિઝાસ્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે ભૂકંપનું એપી સેન્ટર ભાણવડ નજીકનું લાલપુર ગામ હોવાનું સામે આવ્યું હતું. જોકે આ ભૂકંપમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહતી. આમ, છેલ્લા ત્રણ દિવસમાં ભૂકંપના 5થી 6 આંચકા આવવાથી લોકોમાં ભય ઘર કરી ગયો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments