દિલ્હી NCRમાં ટૂર અને ટ્રાવેલ કંપનીઓ પર EDની છાપેમારી: 3.57 કરોડ જ્પ્ત
11, જુલાઈ 2020

દિલ્હી-

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એનસીઆરમાં મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત ટૂર અને ટ્રાવેલ કંપનીઓ પરના ઘણા દરોડામાં 3.57 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કંપનીઓના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ (CBI) શનિવારે જણાવ્યું હતું કે, વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (ફેમા) હેઠળ 9 જુલાઈએ દિલ્હી અને ગાઝિયાબાદમાં આઠ જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીના જણાવ્યા અનુસાર દરોડાની કાર્યવાહી અનેક ટૂર અને ટ્રાવેલ કંપનીઓના ડિરેક્ટરના રહેઠાણ અને કચેરીઓ તેમજ તેમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સામે કરવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન, ઇડીએ Rs7 કરોડની રોકડ અને કેટલાક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ કબજે કર્યા છે. ઇડીએ કહ્યું કે તેમને એવી માહિતી મળી હતી કે આ કંપનીઓ વિદેશીઓને ઇ-વિઝા સેવાઓ પ્રદાન કરવાના નામે પેમેન્ટ ગેટવે દ્વારા વિદેશથી અનધિકૃત ભંડોળ પ્રાપ્ત કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution