પ્રખ્યાત ઉર્દુ શાયર ગુલજાર દેહલવીનું ગઈ કાલે બપોરે અવસાન થઈ ગયું હતું. તેમનું અવસાન તેમના નોઇડામાં આવેલ ઘરમાં થયું હતું. મુત્યુના પાંચ દિવસ પહેલા ગુલજાર કોરોનાથી જંગ જીતી ઘરે પરત ફર્યા હતા અને શુક્રવારે અચાનક તબિયત બગડ્‌યા બાદ તેમનુ અવસાન થઈ ગયું હતું.