ડભોઇમાં નવીનગરીથી તરસાણા સુધી વીજ થાંભલા નમતાં અકસ્માતનો ભય
14, ઓક્ટોબર 2020

ડભોઇ 

ડભોઇ ગ્રામ્ય વિસ્તારો માં મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા વિજપુરવઠો પૂરો પાડવા વીજ થંબાલા લાગવામાં આવ્યા છે પણ છેલ્લા કેટલાય સમય થી થાંભલાઓ ની કાડજી વીજ કંપની લેતી ન હોય ડભોઇ મહુડી ભાગોળ બહાર નવીનગરી થી તરસાણા ચાર રસ્તા સુધી ૨૫ ઉપરાંત વીજ થાંભલા નમી ગયા છે સાથે સાથે વિજ વારો ઉપર પણ ઝાડી ઝાખરાં ઊગી ગયા હોય વહેલી તકે વીજ કંપની આ રીપેર કરે તેવી લોક માંગ છે.

ડભોઇ પંથક માં વિવિધ વિસ્તારો માં વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાળવામાં આવે છે ત્યારે ડભોઇ ના મહુડી ભાગોળ બહાર નવીનગરી થી તરસાના ચાર રસ્તા સુધી ૨૫ ઉપરાંત થાંભલા નમી ગયા છે જ્યારે ટિંબી ક્રોસિંગ નજીક વીજ થાંભલાઓ ઉપર ઝાડી ઝાખરાં ઉગી ગયા છે વીજ કંપની માં સ્થાનીકો દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતતા કોઈ કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો લોકો લગાડી રહ્યા છે વરસાદી સિઝન પૂર્વે વીજ કંપની ને પ્રિ મોંનસુન કામ કરવાનું હોય છે જે થયું ના હોવાનું લોકો માં બોલાઈ રહ્યું છે હવે ૨૫ ઉપરાંત થાંભલાઓ માં નો જો એક થાંભલો પડી જાય તો વીજ પુરવઠો ખોરવાય અને રાહદારી ઑ માં જાણ હાની નો પણ ભય સેવાઇ રહ્યો છે જ્યારે વાયરો ઉપર ઉઘી નિકડેલ જંગલી વેલો અને ઝાડી ઝારખા ને પગલે જો આગ નો બનાવ બને તો મોટું નુકશાન થાય તેવી ભીતી છે વીજ કંપની દ્વારા વહેલી તકે આ સમસ્યા નો હલ થાય તેવી માંગ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution