સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી હાઇડ્રોકાર્બન કંપનીમાં આગ, કોઇ જાનહાનિ નહીં
27, ઓક્ટોબર 2020

અમદાવાદ-

સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી અમર હાઇડ્રોકાર્બન નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. આ કંપનીમાં ક્રૂડ ઓઇલ રિફાઈન્ડ કરવાનું કામ કરવામાં આવે છે. આગ લાગવાને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution