અમદાવાદ-

ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં પેટાચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાકાળમાં યોજાઇ રહેલી પેટાચૂંટણી વચ્ચે કોંગ્રેસ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાનું કોરોનાથી નિધન થયું છે. કોંગ્રેસના કાંકરેજ બેઠકના પૂર્વ ધારાસભ્ય ધારસી ખાનપુરાનું કોરોનાથી નિધન થયું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની યુ.એન. મહેતા હોસ્પિટલમાં કોરોનાને લઇને સારવાર ચાલી રહી હતી. ધારસી ખાનપુરા કોંગ્રેસના પીઠ નેતામાંથી એક હતા. આમ હાલ રાજ્યમાં ચાલી રહેલ પેટાચૂંટણી વચ્ચે કોંગ્રેસ માટે એક દુઃખદ સમાચાર આવ્યાં છે.