ગાંધીનગર: દર બુધવારે મળતી રાજયની કેબીનેટ મંત્રીઓની બેઠકને મુલતવી રખાઇ
24, નવેમ્બર 2020

ગાંધીનગર-

આવતીકાલે ઓલ ઇન્ડિયા પ્રિસાઇન્ડિંગ ઓફિસર્સ કોંફરન્સ ના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગુજરાત આવી રહ્યા છે. જેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કેવડિયા ખાતે આયોજીત આ કાર્યક્રમ માં હાજરી આપશે તેથી ગુજરાત સરકારની દર બુધવારે મળતી કેબિનેટ બેઠક રદ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણાવા મળ્યું છે. આવતીકાલે દેશના અલગ અલગ 27 રાજ્યોના વિધાનસભા અધ્યક્ષનું બે દિવસીય સેમિનાર કેવડીયા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, ઉપ રાષ્ટ્રપતી વૈન્કેયા નાયડુ પણ આવતીકાલે ગુજરાત આવશે. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેવાના હોવાથી આવતીકાલે મળી રહેલી પ્રધાન મંડળની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution