08, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 244 થી વધુ નોંધાયા છે. જેની સામે 355 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 01 દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક 4395 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 252 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,63,444 થયો છે. તેની સામે 2,56,670 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,63,444 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2379 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,63,444 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2379 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 24 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2355 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,56,670 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4395 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 01 દર્દીનુ મૃત્યુ નોંધાયુ છે.