અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 263 થી વધુ નોંધાયા છે. જેની સામે 271 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં કુલ મૃત્યુ આંક 4403 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડમાં આવી રહી છે. હમણાં રોજના 263 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,66,297 થયો છે. તેની સામે 2,60,198 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,66,297 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 1696 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,66,297 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 1696 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 31 ને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 1665 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,60,198 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4403 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 0 દર્દીના મૃત્યુ નોંધાયા છે.