03, માર્ચ 2021
અમદાવાદ-
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 454 થી વધુ નોંધાયા છે. જેની સામે 361 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4411 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 454 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,70,770 થયો છે. તેની સામે 2,63,837 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 2522 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,70,770 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 2522 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 37 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 2485 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,63,837 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4411 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 00 દર્દીના મૃત્યુ નોંધાયા છે.