અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1420 થી વધુ નોંધાયા છે. જેની સામે 1040 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં 07 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3837 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1420 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,94,402 થયો છે. તેની સામે 1,77,515 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,94,402 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 13,050 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,94,402 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 13,050 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 92 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 12,958 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,77,515 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3837 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 03 દર્દીના મૃત્યુ નોંધાયા છે.