ગાંધીનગર, રાજ્યની વિવિધ જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક એકમો દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામને કાયદેસરતા બક્ષવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત રાજ્યની જીઆઇડીસીમાં થયેલા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો ર્નિણય કરાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ કાયદેસરતા આપવામાં આવશે. રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જીઆઈડીસીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. જેમાં ૫૦ ચો.મી.થી લઈને ૩૦૦ચો.મી.થી વધુ કદના બાંધકામોને નિયત દર (ઇમ્પેક્ટ ફી) લઈને તેને નિયમિત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન રાજ્યની જીઆઇડીસીઓમાં ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા કરાયેલા બિનઅધિકૃત બાંધકામોને કાયદેસરતા આપવા રાજ્ય સરકારે નવી નીતિ અમલી બનાવી છે. આ નીતિની ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,પીએમ નરેન્દ્ર મોદીના “આત્મ ર્નિભર ભારત”ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ “આત્મ ર્નિભર ગુજરાત” થકી “આત્મ-ર્નિભર ભારત”ના નિર્માણનું સપનું સેવ્યું છે. જેને સાકાર કરવામાં આ ર્નિણય મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત આજે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધુ સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે. રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરાઇ હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. જેથી આ બાબતો ધ્યાને લઇને જીઆઇડીસી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો ર્નિણય કરાયો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જીઆઇડીસીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે. રાજપૂતે જણાવ્યું હતું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મી થી વધુ કદના બિનઅધિકૃત બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે, જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (ઝ્રરટ્ઠહખ્તી ર્ક ેજી) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જાેગવાઇ રખાઈ નથી. આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસૂલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-૨૦૧૭ના ડી-૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફએસઆઇથી ૫૦% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જાેગવાઇ પણ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ ૧૯૬૨માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યાર સુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જીઆઇડીસીનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનિયરિંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે. ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે.

જાેખમી અને હાનિકારક ઉદ્યોગો માટે આ નીતિ લાગુ નહીં પડે

ઉદ્યોગ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવી જાહેર કરાયેલી આ નીતિ (જાેગવાઇઓ) જાેખમી અને હાનિકારક  ઉદ્યોગોને લાગુ પડશે નહિ. એટલું જ નહીં, પ્લોટની બહાર કરાયેલા કોઇ પણ પ્રકારના બિનઅધિકૃત બાંધકામને પણ નિયમિત કરવામાં આવશે નહીં.

ચાર મહિનામાં અરજી કરવાની રહેશે

તેમણે જણાવ્યું હતું કે, અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી આ નીતિના પરિપત્ર થયાના ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલા બાંધકામ ઉપર જ લાગુ પડશે.

કેટલા બાંધકામ માટે કેટલી ફી ભરવી પડશે

રાજપૂતે નિયત કરાયેલા દરોની વિગતો કહ્યું હતું કે, કુલ બાંધકામ ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.૩૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ ૫૦ ચો.મી.થી વધુ અને ૧૦૦ ચો.મી. સુધી હોય તો રૂા. ૩૦૦૦ વત્તા વધારાના રૂા.૩૦૦૦/, કુલ બાંધકામ ૧૦૦ ચો.મી.થી વધુ અને ૨૦૦ ચો.મી સુધી હોય તો રૂા.૬૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/, જાે કુલ બાંધકામ ૨૦૦ ચો.મી.થી વધુ અને ૩૦૦ ચો.મી સુધી હોય તો રૂા. ૧૨૦૦૦/ પ્લસ વધારાના રૂા.૬૦૦૦/ ભરવાના રહેશે. તેમજ કુલ બાંધકામ ૩૦૦ ચો.મી.થી વધુ માટે રૂા.૧૮૦૦૦/ પ્લસ વધારાના રૂા.૧૫૦/ પ્રતિ ચો.મી. લેખે ૩૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.