27, ડિસેમ્બર 2022
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં આજથી કોરોના ગાઈડ લાઇનનું પાલન અને અમલ કરાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પણ અવારનવાર કહેવામાં આવી રહ્યું છે. પ્રમુખસ્વામી નગર ૬૦૦ એકરમાં ફેલાયેલું જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને માસ્ક ફરજિયાત પહેરે તે માટે સ્વયમ સેવકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના પગલે શતાબ્દીમાં પણ ગાઈડ લાઇન અમલમાં આવી છે. જેમાં ખાસ કરીને જે પણ હારી ભક્તો આવે છે તે માસ્ક પહેરીને આવે અને ખાસ જે લોકોને શરદી ખાંસી છે તેવા લોકો આ મહોત્સવમાં આવે નહીં તે માટે પણ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે.